Sunday, August 11, 2019

SOTC story -2

SOTC દ્વારા આયોજિત કોઈ ટૂર ન કરવા પરેશાન સિંગાપુર ગયેલાં સિટીઝન્સનો સંકલ્પ...!!


પોતાનાં ઘરડાં માવતરને SOTC આયોજિત ટુરમાં મોકલતાં પહેલાં આ સિનિયર સિટીઝનની આપવીતી સાંભળો....!!

SOTC એ સિનિયર સિટીઝન્સ ને કરેલાં કરાર કરતાં છેતર્યા હોવાની ફરિયાદ કરતાં સિનિયર ખૂબ દુઃખ વ્યક્ત કરેછે....!!

સિંગાપુર ફરવાનું સપનું રોળાઈ ગયું તેવો સ્વમુખે અનુભવ કહેતાં યાત્રી....!!


શરીરે કમજોર સિનિયર સિટીઝન્સ SOTC ઉપર ભરોસો કરીને ફસાઈ ગયાં....!!

-------------------------------------------------------------------
સ્પેશિયલ રિપોર્ટર

The Gujarat Report. Com

અમદાવાદ.

EXCLUSIVE story 

સામાન્ય વ્યક્તિ પોતાનાં જીવનમાં તમામ જવાબદારીઓ માંથી જ્યારે રિટાયર્ડ થાય ત્યારે પોતાની જીવનસંગીની હોય તો તેની સાથે અથવા પોતાનાં અંગત મિત્રો સાથે થોડોક સમય કે થોડાક દિવસો ફરવાનું વિચારે અને યોગ્ય અને વિશ્વાસુ એવી ટુર ઓપરેટર નો સંપર્ક કરીને પ્રોગ્રામનું આયોજન કરે.



આ થઈ સ્વાભાવિક વાત એ રીતે આયોજન કરનાર જ્યારે સિનિયર સિટીઝન્સ હોય ત્યારે તેને પોતાની જિંદગીનો સારો ખરાબ દરેક અનુભવને અંતે નિર્ણય કરવાની આદત હોય તે પણ એટલુંજ સ્વાભાવિક છે,પણ જ્યારે એક કરતાં વધુ સિનિયર સિટીઝન્સ ભેગાં મળીને કોઈ આયોજન કરે ત્યારે તો એ આયોજન પરફેક્ટ હોય અને તેમાં પણ આ તમામ સિનિયર સિટીઝન્સ જ્યારે ચતુર,બૌદ્ધિક અને વ્યવહાર કુશળ તરીકે પ્રખ્યાત "નાગરી નાત" ના નાગરો દ્વારા આયોજિત હોય ત્યારેતો પૂછવુજ શું..... તમામ રીતે "એવન" આયોજન થયું હોય તેમાં કદાચ અન્ય કોઈ નહીં પણ જે લોકો નાગરો ને ઓળખે છે એતો જાણેજ છે....!!

હવે આવા પ્રકારના આયોજનમાં કોઈ આપતી કે મુશ્કેલી આવે અને તે પણ અન્ય કોઈ નહીં પણ જેનાં ઉપર વિશ્વાસ મૂકીને પોતાનાં પરસેવાની કમાણી લગાવી હોય તેવા ટુર ઓપરેટર SOTC જેવી ઓપરેટર દ્વારા તમામ સિનિયર સિટીઝન્સ પરેશાન થાય અને સિંગાપુર ફરવા ગયાં હોય અને સડક ઉપર રઝળવાનો વારો આવે ત્યારે નાગર જેવી ચતુર અને બુદ્ધિશાળી કોમ હોય કે કોઈ પણ અન્ય વ્યક્તિઓ હોય નારાજગી છાપરે ચઢીને બોલ્યાં વગર રહે નહીં....!!

ગુજરાત રાજ્યના વિવિધ શહેરો માંથી પોતાનાં પરસેવાની કમાણી SOTC ની લોભામણી જાહેરાત જોઈને તેનાં ઉપર ભરોસો કરીને ટુરનું આયોજન કર્યું હોય ત્યારે "ભરોસાની ભેંસ પાડો જણે" તેવો ઘાટ થાય ત્યારે એક સાથે સમૂહમાં નિર્ણય લેવામાં આવે કે હવે પછી જીંદગી માં ક્યારેય કોઈ પણ જગ્યાએ ટુર નું આયોજન કરીને ફરવા જવું હોય તો SOTC ની બકવાસ સેવા તો નહીં જ લેવાની....!!

આટલી હદે પરેશાન સિનિયર સિટીઝન્સ છેલ્લાં કેટલાંય વર્ષોથી આ પ્રકારની ટુરનું આયોજન કરીને રાજીખુશી થી ફરવા જતાં જ હોય છે પણ આ વખત તેમની જીંદગીનો SOTC સાથેનો છેલ્લો અને ખૂબ દયનિય અનુભવ રહ્યોં જેને સિનિયર સિટીઝન્સ ની ટુરમાં ગયેલાં એક સિનિયર સીટીઝન નાં ધુજતાં હાથે બનેલાં વીડિયોમાં તેમની આપવીતી સાંભળી પોતાનાં માવતરને પ્રેમ કરનાર દરેક દીકરાની આંખમાં જરૂર આંસુ લાવી શકે તેવી આપવીતી વર્ણવે છે એ વડીલ અને હાથ જોડી લોકોને કહે છે કે હવે કોઈ ક્યારેય SOTC દ્વારા આયોજિત ટુર માં જશો નહીં....!!

Saturday, August 10, 2019

SOTC स्टोरी

રાજ્યમાં SOTC દ્વારા સિટીઝન્સનું આવું અપમાન ક્યારેય નહીં થયું હોય....!!


સિંગાપુરની ફૂટપાથ ઉપર ગુજરાતી સિનિયર સિટીઝન્સ નિરાધાર બનાવતું SOTC...!!


સિંગાપુર ફરવાનું કહીને રોડ ઉપર ભયંકર તાપમાં તપાવ્યા...!!

-------------------------------------------------------------------
The Gujarat Report. Com
સ્પેશિયલ રિપોર્ટ
મેહુલ ઝાલા
અમદાવાદ.
EXCLUSIVE story


આત્મ સન્માનિય વડીલોની આપવીતી સાંભળીને સૌકોઈ રડી ઉઠે એવી વેદના સાથે જ્યારે પોતાનાં જીવતરની ઢળતી સંધ્યાએ "વર્લ્ડ ટુર" તો કરી શકવાની ઈચ્છા પૂરી ન કરી શકનાર રાજ્યના અલગ અલગ શહેરનાં વડીલો જેને અતિ સન્માનિય ભાષામાં સિનિયર સિટીઝન્સ કહેવામાં આવે છે તેવા વડીલો સિંગાપુર ફરીને વર્લ્ડટુર કર્યાનો આનંદ વિચારીને SOTC ની મન મોહક "વાર્તા" ઉપર વિશ્વાસ કરીને પ્રવાસનું આયોજન કરી પોતાની પરસેવાની "ટેક્સ પેયર" કમાણી માંથી જ્યારે હજારો રૂપિયા ભરીને પોતપોતાનો સામાન લઈને પ્રવાસનો આનંદ વિચારી નીકળે છે ત્યારે તમામ "સિનિયર સિટીઝન્સ"ની કેવી દુર્દશા થાય છે તેની કરુણ કહાની....!!



તારીખ ૧ માર્ચ ૨૦૧૯ ના રોજ અખિલ ભારતીય નાગર મંડળ દ્વારા સીનોયર સિટીઝન્સ માટે સિંગપુરના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.૧,માર્ચ થી ૯,માર્ચ સુધીના આ પ્રવાસ ની તમામ સુવિધાઓ સાથે SOTC. સાથે નક્કી કરવામાં આવેલી જેમાં પ્રવાસ નું આવવા જવાનું વિમાન ભાડું, લોકલ સાઇટ સીન્સ,બન્ને સમય શુદ્ધ સાત્વિક ગુજરાતી ભોજન તથા સ્થાનિક સ્થળોએ આવવા જવાના પરિવહન ખર્ચ,વિઝા,વીમો,એ બધા ખર્ચ સાથે વ્યક્તિ દીઠ રૂપિયા,૮૬,૦૦૦/માં નક્કી કરેલ.



રાજકોટ,વડોદરા, અમદાવાદ શહેર સહિતના તમામ આશાસ્પદ સિનિયર સિટીઝનો મળીને કુલ 35 ની સંખ્યામાં હતા.જે પૈકી સાત વ્યક્તિ સુપર સિનિયર સિટીઝન્સ (૭૦થી વધુની વયના) હતા.

પ્રવાસની શરૂઆત થીજ કમ્પની
(SOTC) દ્વારા નજીવી બાબતે કરાર ભંગ થયાનો અહેસાસ થવા લાગ્યો.

સ્થાનિક સ્થળોના પરિવહનની એમની જવાબદારી હોવા છતાં યોગ્ય સમયે વાહન પૂરું ન પાડી શકતાં બધાજ સીનિયર સિટીઝનો ને આંકરો રઝળપાટ સહન ન થતાં અકળાયા હતા.
એક તબક્કે નિર્ધારિત સમયે વાહન ની વ્યવસ્થા ન કરી શકતા ૩૫ એ ૩૫ વયસ્ક નાગરિકોને 42 ડીગ્રી
ની ગરમીમાં બપોરે બાર થી સાંજના પાંચ વાગ્યા સુધી પાંચ કલાક રસ્તે રઝળતા મૂકી દીધા હતા.

સિંગાપુર જેવા અજાણ્યા દેશમાં વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોલ,મુસ્તફા મોલની ફૂટપાથ ઉપર 35 ભારતીય સીનિયર સિટીઝનો ભિખારીની જેમ કાંધ મારે એવા તડકામાં,ચા-પાણી કે કુદરતી હાજતની વ્યવસ્થા ના અભાવે હેરાન પરેશાન થઈ ગયાની આ તસ્વીરો સાક્ષી પૂરે છે...!!

એટલુંજ નહિ પણ પ્રવાસીઓ પાસેથી વસુલેલી વિમાની રકમ માં પણ પારદર્શિતા ન હોય વધુ રકમ પડાવ્યાનો અહેસાસ થતા પ્રવાસીઓ પૈકીના સાત સુપર સિનિયર સિટીઝનો એ ગ્રાહક સુરક્ષા દ્વારા SOTC  ઉપર દાવો દાખલ કર્યો હોય એવું પણ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.ત્યારે એટલું જરૂર કહીં શકાય કે રાજ્યની રૂપાણી સરકાર તમામ સિનિયર સિટીઝન્સ ની વહારે આવશે તેવી દરેકની લાગણી છે....!!

Friday, September 20, 2013


में , दिलीप कुमार और "लीलावती" का कमरा !!!!!? 

(एक काल्पनिक इंटरव्यू )
(कथा बीज:-जितू .वढवाणा) 

मुझे जब पता चलाकी "दिलीप कुमार"को फिरसे लीलावती अस्पताल में भरती किया गया है,
तो मुझसे रहा न गया,
क्युकी उसी दोरान में भी मुंबई ही था !!!
सोचा चलो मिलके तबियत पुछ लेंगे और एक छोटा-मोटा इंटरव्यूभी होजाएंगा !!!!?
मेरे अन्दर एक "पत्रकारकी" आत्मा जो है !!!
मेतो चला लीलावती अस्पताल ,
डॉक्टर से लेके सायराबानू तककी परमिशन लेली और ,
में दाखिल हुआ "दिलीपसाब"के कमरे के अंदर ,
डोर की आवाज़ सुननेकी तो ताकत खोचुके "दिलिपसाब",ने मुझे कमरे में दाखल होते देख लिया,
थोड़ी देर तो मेरे सामने चुप-चाप देखते रहे !!!!
मुझे लगाकी "दिलीपसाब" मुझे अपनी कोई प्रिय हिरोइन तो नहीं समज रहे ?
जो लगातार चुप चाप मुझे देखते रहे है,
में कुछ ज्यादा समजू उससे पहेले "दिलीपसाब" खुद बोले ……,
"अरे… कोन.….? कोन हो .…भाई" ?
वही मृदु आवाज़ …,वही मासूम अंदाज़ …,
मेतो दंग रहे गया !!!!?
सोचा, खुदाने उनको खूबसूरती के साथ-साथ क्या खूब स्टाइल बक्शी है …, लाज़वाब !!!!
आजभी आप उनको देखोंगे तो आपको "दिलीप साब" के अन्दर एक भोला भला बच्चा जरुर दिखेंगा ,
कमरे में उसी दोरान कोई नहीं था,
बहार सबको पता था की "दिलीपसाब"का एक चाहने वाला पत्रकार उनको मिलने आया है,
कमरेके अन्दर में, दिलीप साब और थोड़ी देर के लिए ही सही लेकिन छोटीसी "खामोसी" !!!!
खामोसी अपने प्यारे कलाकार/अदाकार को पहेलिबार मिलनेकी,उनकी अदाओकी याद की,
ज्वारभाटा के पहेले सीन से लेके सौदागर के,
फेमस दय्लोग तक सारा मंज़र नज्रRKE सामने से एक पल में गुजर गया !!!!!!!
और साथ में "अमिताभ" से लेके आजकी पीढ़ी के "खाली पिली" फेम "शहीद कपूर" तक के हीरो,
जो उनकी (दिलीप साब)की नक़ल करने वालो कीभी,
एक ज़लक आखोके सामने से गुजर गई !!!!
मेरा पाव जब उनके पलंग के साथ टकराया तब मुझे पता चलाकी में खुद सपनेमे खोचुका था !!!
मेरा ध्यान दिलीप साब के उपर पड़ा ,
वो भी मुझे ही देख रहे थे और मुह से पूछे सवाल "कोन हो भाई"
का जवाब अब आँखों से पूछ रहे थे !!!!??
मेने उनको नमस्कार किया ,
और मेरा परिचय दिया,
कहा मेंभी आपके लाखो करोडो चाहने वालो मेसे एक हु,
पत्रकार भी हु !!!!
बोले अच्छा !!!?
"कहां के हो भाई" !!!?
मेने कहा दिलीप साब मेतो गुजरात से हु,
तो एक दमसे पलंग मे से आधे खड़े हो गए !!!
बोले,क्या…? "गुजरात के हो भाई" ??
मुझे आश्चर्य हुआ ,
मेने कहा "दिलीप साब"मुझसे कोई गलती हो गई ?
बोले, अरे ना भाई ना ,
आओ, तुम मेरे पास यहाँ पे बेठो,
में उनके पलंग के करीब रखे टेबल पे जेA कE बेठा,
बोले,कैसे हो भाई ?
"कुछ चाय-पानी ज्यूस लिया ?
कुछ खाया" ?
मेने कहा, सर, में तो आपकी खबर पूछने आया हु,
और अगर आपकी इच्छा हो तो मुझे आपका एक छोटा इंटरव्यूभी करना है,
बोले, "अरे अब हमारा इंटरव्यू क्या करोगे भाई",
"अब हमारा ज़माना कहा "?
"अगर इंटरव्यू ही करना है तो आज के DOR के कलाकारों का इंटरव्यू करो" !!!
"हम तो गुजरे ज़माने के कलाकार है" !!!
"अब तो हमारी बातेभी गुजर गई ,और अब तो हम भी गुजर जायेंगे" !!!!?
"तूम क्या पूछोगे हमसे और हम क्या जवाब देंगे तुमसे" ??
"आजकी पीढ़ीको हमारी बातो पे कहा इंटरेस्ट होगा भाई" ?
"तुम ऐसा करो चाय और जूस पी के निकलो,
हम भी थोडा आराम करले भाई"
मेने कहा "दिलीप साब" आप भारतीय फिल्म जगत के महान उन कलाकारों मेसे एक हो जिसकी नक़ल आज की पीढ़ीभी करती रही है,
आपका अंदाज़ आज भी लोग भूले नहीं है,
आपको लोग परदेके उपर देखने के लिअ ,
दूर दूर से थियेटरो में जाया करते थे,
क्या ज़माना था आपका,और क्या अच्छी अच्छी फिल्मे दी है आपने इस ज़माने को ,
"दिलीप साब" मेरी बाते चुप चाप सुन रहेथे,
मेरी बात पूरी होनेके बाद अपने अंदाज़ में मुस्कुराके बोले
"ठीक है, चलो कार्लो हमारा आखरी इंटरव्यू !!!!?
में तुरंत चोंका ,
पूछा आखरी इंटरव्यू ?
मतलब ??
फिर एक मासूम मुस्कुराहट करके बोले,
" हा,आखरी इंटरव्यू"
अब में उनकी (दिलीप साब)की बात का मतलब समज रहा था,
मेने कहा सर आपको आपके चाहने वालो की दुआ है आप युही जीते रहे,
नहीं करना मुझे आपका ये आखरी वाला इंटरव्यू !!!!!
मेरी और देखते देखते बोले बहोत जिद्दी है तू,
मीनाकुमारी भी ऐसी ही जिद्दी थी !!!!
मधुबाला भी !!!!
और सायरा तो आज भी ऐसी ही है !!!!
मुझे लगा अब "दिलीप साब" अपने असली अंदाज में आगये लगते है,
क्या बात है, "पल में ट्रेजेडी पल में खुश" !!!!?
शायद यही "अंदाज़" का नाम हींतो "दिलीप कुमार" है !!!!
दिलीप कुमार उर्फे "युसूफ खान साब",
मुझे कहा तुम ने अपना नाम नहीं बताया !!!
में जवाब देता उससे पहेले वो फिरसे बोले ठीक है मत बताओ,
में तुमे खुद बताता हु,
आपके गुजरात मे ही इतने बड़े बड़े कलाकार है !!!!
जो आज-कल छोटे पर्दों पे बड़े छाये रहेते है,
जिसे लोग छोटे पर्दों के "हीरो" कहे के बुलाते है,
उनका इंटरव्यू करना चाहीऐ आपको,
जो बोलनेमे भी बड़े होशियार लगते है !!!?
और अदाकारी के तो "महा बादशाह" है !!!!!!
में और मेरी पीढ़ी के अच्छे अच्छे कलाकारों के "बाप" है !!!??,
जो, कोई भी जगा पे ,
कोई मही मंच र्स अपनी कलाकारी कर शकते है,
बड़े सक्षम है वो" !!!!!?
"मामूली सिपाही बनके अब तो राजा भी वही बनेगे" !!!!?
"भाई,ये सारी बाते हमनेतो अखबारों और टीवी पे देखि,सुनी है ,
इस लिये जानते है भाई" !!!!?
"सुना है,
देश में चारो और अपनी ही बाते करवाते है ये कलाकार" !!!!?
"युवा पीढ़ी को अपना निशाना बनाये हुए है" ?
"चाह ते है की,आजकी युवा पीढ़ी उनको HI पसंद करे" !!!!?
"भाई हमारे ज़माने भी हरीफ हुआ करते थे",
"राज और देवानद" !!!?
"जिसको बहुत लोगो ने पसंद किया था",
"एक तरफ हमभी अपनि अदाओ के कारन आगे बढ़ रहे थे",
"और दूसरी और "राज" और "देव"भी अपने अपने अंदाज़ में लोगो को लुभाते चले जारहे थे",
"एक मस्ती भरा दौर था,एक मस्ती भरा ज़माना था" !!!!
"लेकिन,आज तो हीरो खुद नक्की करता है अपने चाहने वालो की संख्या !!!!!?
"खुदकी फिल्म फ्लॉप होगी ही नहीं,
हिट ही है ऐस दावाभी करते है" !!!!
में सही में खामोस था की "दिलीप साब"ने मेरी नींद उड़ा दी थी ,
कुछ समज नहीं आ रहा था !!!!
कबसे चुप रहा "लीलावती" अस्पताल का "कमरा" मनो मुझे कहे रहा था,
"इंटरव्यू लेने में आया था, उन्होंने मेरा इंटरव्यू लेलिया" !!!!!?
भाई पुराने ज़माने के "कलाकार",
कोन बच सकता है उनसे !!!!??
रUम का दरवाज़ा खुला ,
एक आदमी मेरे लिया ज्यूस लेके आया,
में ज्यूस पीके "दिलीप साब"का धन्यवाद करके,
"लीलावती" अस्पतालके कमरेसे बहार निकल गया,
और मुझे परेशां करने वाले विचारोसे भी !!!!!?
टीवी ओन कियातो न्यूज़ थी "दिलीप साब"को "लीलावती" अस्पतालसे छूट्टी दी गई,
"दिलीप साब" फिर से आराम करने लगे !!!!
में भी अपने "कोफ़ी" जग मेसे कोफ़ी निकाल के पिने लगा !!!

Friday, September 6, 2013

હું….,ભાઈબંધ હંસલો….,
અને "શક્કરી" નો લાલિયો !!!!!!
નાનપણના એ દિવસો ખરે ખર હું ક્યારેય નહિ ભૂલી શકુ !!!!
મારી શેરી નું નામ સીતા દરવાજો...,
અને હું ભણતો એ શાળા નું નામ "કન્યા શાળા" !!!!!
એકલી કન્યાઓની નહિ કઈ ,એમાં છોકરાઓ પણ ભણે !!!!!
કન્યાશાળાની આગળ જૂની મસ્જ્જીદ અને મસ્જ્જીદના દરવાજે
મેલા-ઘેલા કપડા વીટાળેલી આઠ થી દસ કુતરા ઓથી ઘેરાયેલી 
શક્કરી !!!!!?
જીહાં તેનું નામ "શક્કરી" !!!!!!
લોકો તેને "ગાંડી" કહે ...."શક્કરી ગાંડી"...,
પણ કેવાય છેને કે પોતાની  
દુનિયામાં મસ્ત હોય તેને કોણ શું કહે છે તેની પરવા ક્યાં હોય છે !!!!
શક્કરી ને પણ આવુજ કૈક હશે.....,
અમને પણ આ બધી વાતોની કઈ સમજ ક્યાં હતી ...?
અમારે મનતો શક્કરી કરતા તેના કુતરાઓ વધારે મહત્વના હતા !!!!!
બાકી,એક હિંદુવેપારી કુટુંબની બાઈ....,
આમ ગામની મસ્જ્જીદના આંગણે પડી રે ખરી !!!!
પણ ગુજરાતના ગામડામાં  આવા ભાઈચારાની કથા તો હજુય જીવિત છે,
અને આવા ભાઈચારાની કથાયું કરવા બેહીએ તો ખૂટે એમ નથી મારા ભઈલા !!!!!!
મુદ્દાની વાત હવે શરુ થાય છે,
એક દી, મારા ભાઈબંધ હસલા એ કીધું કે,
 "ટીકલા" આજ નિશાળેથી ઘરે જતા,આ શક્કરીની ઓરડી માંથી,
એક ગલુડિયાને લઇને ભાગવાનું છે !!!!!
અને મેં પણ ભાઈબંધ હસલા વાત સાંભળી ને ,
તેની ઈચ્છા પૂરી કરવા માટે મનોમન નક્કી કરી લીધું હતું,
નિશાળમાં મગનમાસ્તર ભણાવે તેના કરતા હસાવે ઘણું !!!
પણ કોણ જાણે આજ મને મગનમાસ્તરની વાતોમાં મન લાગતું નહોતું !!!!
મારું મનતો નિશાળની સામે વાળી મસ્ઝીદમાં હતું,
શકકરીના ગલુડિયામાં હતું...., 
અને સાંજે નિશાળેથી નીકળતાની સાથેજ મેં...,
"શક્કરી" ના સામ્રાજ્ય માંથી એક ગલુડિયાને ઉઠાવી લીધું !!!!
બિચારી શક્કરી !!!!!
પોતાની આખીય "સલ્તનત" લુટાણી હોય તેમ,
વલખા મારતી હાથમાં મોટા-મોટા "પાણા"
લઈ ને પોતાની હદ સુધી મારી પાછળ દોડી ....,
પણ હાથ માંથી એકેય "પાણો" ફેક્યો નહિ !!!!
હું અને હંસલો "લાલિયા" ને લઇ ને ભાગવા માં સફળ થયા,
અને શક્કરી ના સામ્રાજ્ય માથી એક ગલુડિયું ઓછું થયું !!!!
આજે આ વાતને યાદ કરીને ખુબ દુઃખ થાય છે...!!,
પણ બીજી સેકન્ડમાં વિચાર આવે છે.., 
કેટલી નાસમજ હતી એ દુનિયા !!!?
એક નિરાધારના આધારસમા કુટુંબ માંથી જાણે, 
એક નાનકડા બાળક ને ચોરી લીધું હોય તેવું દુઃખ !!!!
ખેર,અમે પણ બાળકોજ હતા ને ...?
પણ મજાનો હતો અમારો "લાલિયો"  
ખુબ મજાના દિવસો હતા.....,
હું ,હંસલો અને લાલિયો !!!!
શક્કરી નો લાલિયો !!!!
"લાલિયો" ....,"ખુબ વાલીયો"......,"ધમાલિયો" !!!!!!!
હું,કૃષ્ણ અને કંસ !!!!!!!

આજે અચાનક ગોમતીપુરની ભાટની પોળ વાળી ચાની કીટલી ઉપર ભેગા થઇ ગયા,
કૃષ્ણના હાથમાં "સોની એક્ષ્પિરિયા-ઝેડ" અને કંસના હાથમાં સેમસંગનું "ટેબ"
હું કઈ બોલું તે પહેલાજ કૃષ્ણ મને કહે કેમ એલા આમ વીલું મોઢું ?શું કઈ થયું છે કે શું ?
હું કૃષ્ણ ના સવાલ નો જવાબ આપું તે પહેલા કંસે વચ્ચે ટપકું મુક્યું "ભાઈ સમજને આ માણસ જાત નું તો આવુજ રહેવાનું !!!!!! મેં કહ્યું ભાઈ તો પણ તારે અહીજ ચા પીવા આવું પડે છેને?
કૃષ્ણ બોલ્યો એલા આ ચાની કીટલી ઉપર કેટલી મહાનહસ્તીઓએ
બેઠા-બેઠા  ચા પીધી એની તને ખબર છે..?
અને આ એજ કીટલી છે જેની ચા પીને આજે લોકો દેશના "પી એમ"
બનવાની તૈયારી માં પડ્યા છે !!!!!
મને વિચારતો જોઈ ને કૃષ્ણ મને કહે "અમ્મા યાર ચલ છોડ આ બધી વાતો તું સાલા "માણસ" તને કઈ સમજાશે નહિ" !!!!!!!!
મેં કહ્યું પણ મને તું સમજાવીસ તો જરૂર ખબર પડશે,
કૃષ્ણ મારી વાત સાંભળીને મારી સામે તાકી રહ્યો .....,
મને કહે તું "અર્જુન" નથી કે હું તને જ્ઞાન આપું !!!!?
અને નથી આ મહાભારતનું મેદાન !!!!
હું વધારે કઈ સમજ્યો નહિ એટલે મેં ડાયરેક્ટ પૂછ્યું 
"તું કહે છે તેમ આ કીટલીની ચા પીવાથી પી.એમ બનવાના સપના આવે તો....,
તો આટલા વરસોથી આ કીટલી ચલાવતો "ભીખો" પોતે કેમ આમને આમ છે" ?
તેની હાલત માં કેમ કઈ ફેર-ફાર દેખાતો નથી ?
હવે મારી અને કૃષ્ણની વાતો ચુપ ચાપ સાંભળતા કંસ થી ના રેવાયું !!!!
કંસે કહ્યું અરે ગાંડા એતો (ચા વાળો ભીખો)અહીનો અહીજ રેહે ને ?
મેં પૂછ્યું પણ કેમ ?
ભીખાની ચામાં જો આટલો દમ હોય તો ભીખો કેમ દમદાર /પૈસાદાર/ પાવરફુલ ના હોય ?
અને ભીખનો "વિકાસ"કેમ ન થાય ?
કંસ મારી વાત સાંભળીને હસવાનો હતો એની મને ખબર હતી....,
પણ કૃષ્ણ, કંસ કરતા વધારે અને પહેલો હસવાનો છે તે મારી જાણબાર હતું....,
આમય જીવનમાં બધું જાણ બહારજ થતું હોય છે ને ?
મને ઘણું આશ્ચર્ય થયું જયારે મેં મારી વાત ઉપર કૃષ્ણને ઠહાકાભેર હસતો જોયો ,
મેં વિચાર્યું કે આને થયું શું ?
આમ અચાનક આવી સીરીયસ વાતે કઈ હસતું હશે ?
ત્યાં કૃષ્ણ મારા મનોભાવ સમજી ગયો અને મને કહે,
આ વાત તું અને ભીખો ક્યારેય નહિ સમજો,
અરે મારા ભાઈ "મનુષ્ય" તમને સમજવા /વિચારવા નો સમય મળે તો,
તું અને ભીખો કઈ સમજો ને ?
લે સાંભળ હવે આ ચા/ ખાંડ /ગેસ /અને દૂધ ત્યારે એટલા મોંઘા નોતા જયારે પી.એમ પદના દાવેદાર અહી ચા પીવા માટે આવતા હતા,
હા એ વાત પણ બીજી છે કે ત્યારે તેઓ પોતે બીજા દ્વારા મંગાવેલી ચા પીતા હતા !!!!!
અને આજે પણ બીજાની બનાવેલીજ ચા પીવે છે !!!!
આમતો એમને "બનાવતા"ખુબ સરસ આવડે છે !!!!!!!
કૃષ્ણની વાત પાછી મનેતો નોજ સમજાણી !!!!
મેં કંસને પૂછ્યું ભાઈ તું કેમ ચુપ છે ?
કંસ કહે હું કઈ ચુપ નથી ,
આજ અડધી રાત થી કઈ ચીજમાં વધારો કરવા ધરતી ઉપર મારે કોને મોકલવાનો છે તેનો વિચાર કરતો હતો !!!!
આમ અડધી રાતે ડબલ શક્તિથી કોઈ વધે તે આસુરી શક્તિ જ હોય ને ?
એમાં આમ મારી વાત થી બોલતો કેમ બંધ થઇ ગયો ?
હું કંસની વાતને જરા ધ્યાનથી સંભાળ તો હતો,
હું જવાબ આપું તે પહેલા કૃષ્ણના ફોનની ઘંટડી રણકી....,
એટલે કૃષ્ણ ઊભો થઇને અમે બેઠા હતા તેનાથી થોડો આગળ તેની ઝગમગાટ લાલ ગાડી પાસે જઈને આવેલા ફોન ઉપર વાત કરવા મંડ્યો ,
આ તરફ કંસ પણ પોતાના ફોનને હાથમાં રમાડતા-રમાડતા તેની ગાડીમાં ગોઠવાઈ ગયો,
કૃષ્ણ પણ હવે ગાડીને ચાલુ કરીને ચાલુ ફોને મને હાથ ઉંચો કરી બાય-બાય કરીને ચલવ માંડ્યો ,
અને હું જોતો રહ્યો તેઓ બન્નેની જઈ રહેલી ગાડી ની દિશા તરફ,
અને ફરી વખત કઈ સમજુ તે પહેલા મેં જે દ્રશ્ય જોયું તે હું માનવા જરા પણ તૈયાર નથી,
તે દ્રશ્ય માં મેં જોયું કે......,
મારાથી આમ અચાનક જઈ રહેલા કૃષ્ણ અને કંસે એક બીજાની ગાડી બાજુ બાજુ માં કરી ને હાથ તાળી આપી રહ્યા હતા !!!!!
હું દિગ્મૂઢ અવસ્થામાં હતો !!!
ત્યાં પાછળ થી ભીખનો અવાજ સંભળાયો ,
"સંજયભાઈ ત્રણ ચા અને ત્રણ પાણીના પાઉચના બાકી છે હો !!!!!!!!?    
મતલબ કે જે ઘોર કળિયુગ કહેવાય છે તે આજ છે !!!!
જ્યાં કૃષ્ણ અને કંસ ભેગા-ભેગા જોવા મળશે,
અને "વિકાસ"ના નામે "વિનાશ"ભણી સમગ્ર યુગને દોરી રહ્યા છે,
હે કૃષ્ણ હવે "જાય શ્રી કૃષ્ણ" કહેવાની પણ હિમ્મત રહી નથી !!!!!!!

 


વણઝારાનો રાજીનામાં પત્ર એટલે ,

વિવાદ ....વિમર્ષ .....કે વિધ્વંસ !!!!!!!?


"માનેલા"ભગવાન(મોદી) સાથે પૂજનીય ભગવાન(આસારામ)માટેનો જંગ" ??

આમતો છેલ્લા કેટલાય સમયથી સાબરમતી સેન્ટ્ર્લજેલ,
નવાનવા "વિવાદો"નું એપીસેન્ટર બનતું રહ્યું છે.
આસારામ ભલે સાબરમતી સેન્ટ્રલ જેલ સુધી પહોચ્ય નહિ,
પણ તેમના નામનો વિવાદ જરરથી સાબરમતી જેલના આંગણા સુધી પહોચી ગયો !!!!
અને જો એ તમામ વિવાદોને એક પછી એક ધીમેધીમે ખોલવામાં આવે,
તો એ વિવાદોની અંદર ધરબાયેલી અનેક વિગતો
આજે પણ અનેક વિવાદોનું સર્જન કરી શકે....., "કોઈ શક" ?
તે વિવાદમાં "સુરંગકાંડ" મામલો હોય કે ,
જેલની અંદર અપાતી ગેરકાયદેસરની અનેક "સુવિધા"નો હોય,
કે પછી હોય ઉચ્ચઅધિકારીની મીઠી નઝરથી
"વહીવટ" કરનારને મળતી સ્પેશિયલ "કૃપાસેવા"નો !!!!?
સમયાંતરે આવી દરેક માહિતી સાબરમતી સેન્ટ્રલજેલની તોતિંગ દિવાલો નીચે આસાનીથી દબાવી દેવાનો "ખોખલો" પ્રયાસ કરવામાંતો આવે છે,
પણ ક્યારેક "અભિમન્યુ કોઠા" વીંધીને ,
આવી ખબરો આમારા સુધી પહોચી જતી હોય છે,
"બાતમીદારો"ની વાત જો માનવામાં આવે તો ,
સાબરમતી સેન્ટ્રલજેલ ઉપર મોદીસરકારની ખુબ મહેરબાની છે !!!!!?
એટલે સાબરમતીજેલ માંથી "મોદી" વિરોધી સુર સાંભળવો/સાંભળવા મળવો આમતો અશક્ય છે,
અને એટલેજ નકલી એનકાઉન્ટર કેસમાં સજા પામી રહેલા ગુજરાત પોલીસના ઓફિસરોને જેલ મેન્યુલથી અલગ પ્રકારની સુવિધાઓ આપવાની વાતો જાણવા,સાંભળવા મળી છે,
અને અવાર નવાર સાંભળવા મળે પણ છે,
તેમાં,અત્યારે ડી.જી.વણજારાની સુવિધાની જો વાત કરવામાં આવે તો ખુબભવ્ય રીતે વણજારા સાહેબને જેલની અંદર સુવિધાઓ આપવામાં આવે છે,
સાબરમતી સેન્ટ્રલ જેલમાં વણઝારાને સરકારની નજીકના(ખાસ)વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે, અને એટલેજ તેમની સુવિધાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે,
આ સુવિધાની એક વિગતે વાત કરતા પહેલા ફક્ત એક ઉદાહરણ જો આપવામાં આવે તો ,
જેલમાં રોજ રાત્રીના બાર/એક /બે સુધી વણઝારાને મળવા આવતા લોકો સાથે વણઝારા જેલના જ એક બેઠકખંડમાં મળતા હોય છે,બેઠા હોય છે,
વણજારાની આ "કોઈ પણ" સાથેની મુલાકાત ચાલુ હોય તે દરમિયાન,
કોઈ પણ વ્યક્તિ એ જવાનું મનાઈ છે,જેલ સ્ટાફ ને પણ નહિ !!!!!?
આ સુવિધા જેલ ના નિયમો ની ધજીયા ઉડાડવા માટે પુરતા છે,
વણજારા ને મળતી આવી અનેક સુવિધાઓ ને લઇને,
કેટલાય એટલેકે "અન્ય" કેદીઓ એ વિરોધ કરેલો છે / કરે છે,
જેમાં જેલ અધિકારીઓના નિયમિત રાઉન્ડ વખતે જેલમાં ,
(તે વખતે)બંધ અમદાવાદના નામાંકિત એવા "અબ્દુલ વહાબે" જાહેરમાં વિરોધ કરેલો,
અને કહેવાય છે કે ત્યાર બાદ "અબ્દુલ વહાબ" જ્યાં સુધી,
સાબરમતી અને અન્ય જગ્યાએ જેલ માં હતો/રહ્યો ,
ત્યાં સુધી તેને પણ વણઝારા જેવી "સુવિધા"નો લાભ મળતો રહ્યો હતો,
મતલબકે,વણજારાના કહેવા મુજબ મોદીસરકાર તેને ભૂલી ગઈ છે,
તો તે વાતનો કોઈ અર્થ નથી,
તે વાત સંપૂર્ણ પણે અર્થહીન સાબિત થાય છે,
અને જો વણજારા હવે ખરે ખર તમામ સત્ય હકીકતોની "સિંહ ગર્જના" કરવાના મૂળમાં હશે,
તો તાત્કાલિક ધોરણે વણજારાને પણ ટૂંક સમય માજ,
તેમના ઉપર ચાલતા નકલી એન્કાઉન્ટરના કેસની તપાસને
લઈને મુંબઈ જેલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે !!!!?
એટલે એક વાત જરૂર થી કહી શકાયકે આવનારા દિવસોમાં,
વણજારાના રાજીનામાં પત્રનો "ધમાકો" છેક દિલ્હી સુધી અસર કરશે !!!!!
અંગત સુત્રોની વાત માનવામાં આવે તો,
કહેવાય છે કે આસારામ ઉપર કથિત બાળકીના "રેપ"ના ગુન્હાવાળી વાતને લઇને,
આસારામના પરમ ભક્ત એવા વણજારા ખુબ વ્યથિત છે !!!!!
વણજારાને આસારામના પરમ ભક્ત એટલામાટે કહેવામાં આવે છે કે,
આજે પણ જેલની અંદર ,
વણજારાની બેરેકમાં,
ફક્ત અને ફક્ત ,
આસારામના ફોટોગ્રાફ અને આસારામના પુસ્તકો જ જોવા મળેછે !!!!!
જીહાં ..
એટલે "આસારામ"એ વણજારાના માનીતા / પૂજનીય ભગવાન છે !!!!!!
જેથી એવું કહી શકાય કે,
વણજારા દ્વારા લખાયેલો "દશ" પાનાનો પત્ર
કોના માટે "વિનાશ ' કે "વિધ્વંશ" નું કારણ બનશે તેતો
આવનારો સમયજ બતાવશે,
વણજારાનું રાજીનામું એ "મનથી માનેલા" ભગવાન,
માટે કર્મથી થયેલા ભગવાન વચ્ચેનો વિવાદ છે !!!!
અને "મોદી"એ વણજારાના કહેવાતા ભગવાન છે,
તે વાત પણ પોતાની રીતે સાબિત થાય છે,
અને જેને લઇને પોતે (વણજારા)સરકારને સાથ આપતા-આપતા,
છેલ્લા સાત વર્ષથી પોતે જેલમાં છે,
તે વાતનું દુઃખ વણજારા ત્યારે ભૂલવા તૈયાર છે કે,
જયારે સ્વયંમ "મોદી"આસારામના કેસમાં "આસારામ"ને મદદ રૂપ થાય !!!!!
જેલ સુત્રોની વાત માનીએ તો કહેવાય છે કે,
પોતાની આ મનોદશા(આસારામ પ્રત્યે નો પ્રેમ)ને વણજારા એ,
જેલમાં મળવા આવતા પોતાના ભાઈ કે.જી.વણજારા દ્વારા મોદી સુધી પહોચાડી !!!!?
પણ તેનું પરિણામ "શૂન્ય" આવતા,
અંતે શું વણજારાએ આ રાજીનામાં પત્ર દ્વારા પોતાની તાકાતનો પરિચય કરાવ્યો છે ?
અહી એક વાત જરૂર થી સમજવા જેવી છે કે ,
વણજારા પોતે જેના માટે /જે કારણો ને લઈને જેલ મા છે,
તે વાત હવે અચાનક સાત-સાત વર્ષો પછી આમ,
વણજારાને શામાટે યાદ આવી। ..??
શું વણજારાને અત્યાર સુધી ચુપ રહેવાનું કોઈ ખાસ કારણ હતું ??
અને જો આવાતનો જવાબ "ના" હોય તો ..,
તમામ "વિવાદો"નો એકજ અર્થ થય છે કે આ..,
"માનેલા" ભગવાનની સામે "પૂજનીય" ભગવાન માટેનો જંગ છે..,
આમાં અમને તો કોઈ પણ એન્ગલથી
"વિરોધ પક્ષ"નો વાંક લાગતો / દેખાતો નથી,
"હરી" ઓમ....."હરી" ઓમ...
"નમો" હરી ....."નમો" હરી ...!!!!!!!
--SANJAY D--