રાજ્યમાં SOTC દ્વારા સિટીઝન્સનું આવું અપમાન ક્યારેય નહીં થયું હોય....!!
સિંગાપુરની ફૂટપાથ ઉપર ગુજરાતી સિનિયર સિટીઝન્સ નિરાધાર બનાવતું SOTC...!!
સિંગાપુર ફરવાનું કહીને રોડ ઉપર ભયંકર તાપમાં તપાવ્યા...!!
-------------------------------------------------------------------The Gujarat Report. Com
સ્પેશિયલ રિપોર્ટ
મેહુલ ઝાલા
અમદાવાદ.
EXCLUSIVE story
આત્મ સન્માનિય વડીલોની આપવીતી સાંભળીને સૌકોઈ રડી ઉઠે એવી વેદના સાથે જ્યારે પોતાનાં જીવતરની ઢળતી સંધ્યાએ "વર્લ્ડ ટુર" તો કરી શકવાની ઈચ્છા પૂરી ન કરી શકનાર રાજ્યના અલગ અલગ શહેરનાં વડીલો જેને અતિ સન્માનિય ભાષામાં સિનિયર સિટીઝન્સ કહેવામાં આવે છે તેવા વડીલો સિંગાપુર ફરીને વર્લ્ડટુર કર્યાનો આનંદ વિચારીને SOTC ની મન મોહક "વાર્તા" ઉપર વિશ્વાસ કરીને પ્રવાસનું આયોજન કરી પોતાની પરસેવાની "ટેક્સ પેયર" કમાણી માંથી જ્યારે હજારો રૂપિયા ભરીને પોતપોતાનો સામાન લઈને પ્રવાસનો આનંદ વિચારી નીકળે છે ત્યારે તમામ "સિનિયર સિટીઝન્સ"ની કેવી દુર્દશા થાય છે તેની કરુણ કહાની....!!
તારીખ ૧ માર્ચ ૨૦૧૯ ના રોજ અખિલ ભારતીય નાગર મંડળ દ્વારા સીનોયર સિટીઝન્સ માટે સિંગપુરના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
તા.૧,માર્ચ થી ૯,માર્ચ સુધીના આ પ્રવાસ ની તમામ સુવિધાઓ સાથે SOTC. સાથે નક્કી કરવામાં આવેલી જેમાં પ્રવાસ નું આવવા જવાનું વિમાન ભાડું, લોકલ સાઇટ સીન્સ,બન્ને સમય શુદ્ધ સાત્વિક ગુજરાતી ભોજન તથા સ્થાનિક સ્થળોએ આવવા જવાના પરિવહન ખર્ચ,વિઝા,વીમો,એ બધા ખર્ચ સાથે વ્યક્તિ દીઠ રૂપિયા,૮૬,૦૦૦/માં નક્કી કરેલ.
રાજકોટ,વડોદરા, અમદાવાદ શહેર સહિતના તમામ આશાસ્પદ સિનિયર સિટીઝનો મળીને કુલ 35 ની સંખ્યામાં હતા.જે પૈકી સાત વ્યક્તિ સુપર સિનિયર સિટીઝન્સ (૭૦થી વધુની વયના) હતા.
પ્રવાસની શરૂઆત થીજ કમ્પની
(SOTC) દ્વારા નજીવી બાબતે કરાર ભંગ થયાનો અહેસાસ થવા લાગ્યો.
સ્થાનિક સ્થળોના પરિવહનની એમની જવાબદારી હોવા છતાં યોગ્ય સમયે વાહન પૂરું ન પાડી શકતાં બધાજ સીનિયર સિટીઝનો ને આંકરો રઝળપાટ સહન ન થતાં અકળાયા હતા.
એક તબક્કે નિર્ધારિત સમયે વાહન ની વ્યવસ્થા ન કરી શકતા ૩૫ એ ૩૫ વયસ્ક નાગરિકોને 42 ડીગ્રી
ની ગરમીમાં બપોરે બાર થી સાંજના પાંચ વાગ્યા સુધી પાંચ કલાક રસ્તે રઝળતા મૂકી દીધા હતા.
સિંગાપુર જેવા અજાણ્યા દેશમાં વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોલ,મુસ્તફા મોલની ફૂટપાથ ઉપર 35 ભારતીય સીનિયર સિટીઝનો ભિખારીની જેમ કાંધ મારે એવા તડકામાં,ચા-પાણી કે કુદરતી હાજતની વ્યવસ્થા ના અભાવે હેરાન પરેશાન થઈ ગયાની આ તસ્વીરો સાક્ષી પૂરે છે...!!
એટલુંજ નહિ પણ પ્રવાસીઓ પાસેથી વસુલેલી વિમાની રકમ માં પણ પારદર્શિતા ન હોય વધુ રકમ પડાવ્યાનો અહેસાસ થતા પ્રવાસીઓ પૈકીના સાત સુપર સિનિયર સિટીઝનો એ ગ્રાહક સુરક્ષા દ્વારા SOTC ઉપર દાવો દાખલ કર્યો હોય એવું પણ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.ત્યારે એટલું જરૂર કહીં શકાય કે રાજ્યની રૂપાણી સરકાર તમામ સિનિયર સિટીઝન્સ ની વહારે આવશે તેવી દરેકની લાગણી છે....!!
No comments:
Post a Comment